Satya Tv News

YouTube player

અગ્રસેનજી મહારાજાની 5147મી જયંતિ
5147મી જયંતિ નિમિત્તે રકતદાન શિબિરનું આયોજન
નારાયણ હોસ્પિટલ ખાતે શિબિરનું આયોજન
સમાજના લોકોએ ઉપસ્થિત રહી કર્યું રકતદાન

ભરૂચ જિલ્લા અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેનજી મહારાજાની 5147મી જયંતિ સમારોહ.નિમિત્તે રકતદાન શિબિરનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ રકતદાન કર્યું હતું.

ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વસતા અગ્રવાલ સમાજના લોકો દ્વારા અગ્રસેનજી મહારાજા 5147મી જયંતિ સમારોહ નિમિત્તે રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી 8મી ઓકટોબર રવિવારના રોજ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 15મી મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવારે 10 થી 1 સુધી યોજાયેલા રકતદાન શિબિરમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી.રકતદાન કર્યું હતું.આ શિબિરમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ વિષેશ ઉપસ્થિત રહી લોકોને ઉત્સાહિત કર્યા હતાં.જ્યારે સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રકતદાન કર્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: