Satya Tv News

સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારીને પીઠના ભાગે ચપ્પુથી ગંભીર ઈજાઓ .કરવામાં આવી હતી. આ વેપારી લોહીલુહાણ ઘરે જાતે પહોંચ્યા હતા જેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત વેપારી લોહીલુહાણ હાલતમાં 2 થી 3 કિલોમીટર બાઈક ચલાવી ઘરે પહોંચ્યા બાદ ફસડાઈ પડ્યા હતા જે આખો ઘટનાક્રમ CCTV કેમેરામાં કેદ થયો હતો.મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતમાં પર્વત ગામ સ્થિત વીર દર્શન સોસાયટી પાસે રહેતા ધરગારામ મુલાજી ચૌધરી ઈજાગ્રસ્ત હાલતમાં તેમના ઘર નજીકથી મળી આવ્યા હતા. લોહીલુહાણ મુલાજી ચૌધરીને સ્થાનિકોએ ઇજાઓની સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડયાહતા જ્યાં તેઓનું ટુંકી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતા પોલીસ દોડી આવી હતી.

ઈજાગ્રસ્ત મુલાજી ચૌધરી પીઠ પર ચપ્પુની ઇજા છતાં આ હાલતમાં સોસાયટી સુધી બાઈક હંકારીને પહોચે છે અને બાદમાં ઘર પાસે ફસડાઈ પડે છે. આ ઘટનાના પગલે લોકોનું ધસી આવે છે અને બાદમાં એક કારમાં ઈજાગ્રસ્ત મુલાજી ચૌધરીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ટુંકી સારવાર બેટ તેમનું મોત નીપજ્યું હતું.

error: