Satya Tv News

જામનગરની ધ્રોલની સીમમાં શ્રમિક પરિવાર રહેતો હતો, નવરાત્રી શરૂ થતાં જ પરિવારે માતાજીના નામે ધૂણવાનું શરૂ કર્યું. મોટી બહેન સવિતા તડવીએ ધૂણતા ધૂણતા જણાવ્યું કે તેની નાની બહેન જ અપશુકનિયાળ છે અને તેના કારણે જ ઘરમાં સમસ્યાઓ સામે આવી રહી છે.રાકેશ તડવી અને સવિતા તડવી બંને ભાઈ બહેનોના માથે જાણે રાક્ષસ અને પિશાચ ચડી ગયા હોય તેમ એમણે નાની બહેનને નિર્વસ્ત્ર કરી. પોતાની જ સગી નાની બહેન પર ભાઈએ છરીના ઘા માર્યા, બહેન પણ પાછળ ન રહી અને લાકડાના ઘા મારતી રહી. 15 વર્ષની કિશોરી પોતાના જીવ માટે બૂમો પાડતી રહી પણ કોઈ જ બચાવવા માટે આવ્યું નહીં. કિશોરીનું આખું શરીર લોહીલુહાણ થઈ ગયા બાદ પણ ભાઈ બહેન રોકાયા નહીં અને તેને ઢસડીને બહાર લઈને આવ્યા, દીવાલમાં માથું પછાડ્યું અને અંતે દીકરીનું મૃત્યુ થયું.

વહેલી સવારે પોલીસને જાણ થતાં દીકરીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો છે અને ખૂંખાર ભાઈ બહેન રાકેશ તથા સવિતા સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

error: