Satya Tv News

રાજકોટના યુવરાજનગરમાં રહેતા યુવાન અનિલ ડાભીએ આજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા અનિલે એક વીડિયો પણ બનાવ્યો હતો અને આપઘાતનું કારણ પણ આપ્યું હતું. દીકરીના આપઘાત બાદ સસરાએ મૃતક જમાઈ પાસેથી 10 લાખ માગ્યા હતા પરંતુ યુવાન પાસે આટલા બધા પૈસા નહોતા તે ઉપરાંત સાસરીયા તેને ખૂબ હેરાન પરેશાન કરતાં હતા. આથી કંટાળીને અને પત્નીના વિયોગે અનિલે મોતને વ્હાલું કરી લીધું હતું.

આપઘાત કરનાર કપલને બાળકો નહોતા થતાં અને એક અઠવાડિયા પહેલાં કાજલે પણ આ જ કારણે આપઘાત કરી લીધો હતો. કાજલના મોત બાદ સાસરીયાઓએ અનિલની હેરાનગતિ શરુ કરી હતી અને 10 લાખ માગવા લાગ્યાં હતા પરંતુ અનિલ પાસે આટલા બધા પૈસા નહોતા. વીડિયોમાં અનિલે એવું કહેતો જોવા મળે છે કે ‘મને મારી કાજલ વગર ગમતું નથી, પત્ની અને મારા અસ્થિ સાથે પધરાવજો, મારી પાસે મારા સસરા 10 લાખ માંગે છે હું એકલો થઈ ગયો છું ક્યાંથી લાવું’.

error: