અચાનક ગોકુલપુરી મેટ્રો સ્ટેશનના સ્લેબનો એક જૂનો ભાગ અચાનક જમીન પર તૂટી પડ્યો હતો . આ અકસ્માતમાં ત્યાંથી પસાર થતા 4 બાઇક સવારો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 4ના મોત થયા છે તેમજ એકની હાલત ગંભીર છે.દિલ્હી ફાયર બ્રિગેડને તુરંત મામલાની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બુલડોઝરની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. બે લોકો કાટમાળ નીચે દટાયા હતા અને તેમને તાત્કાલિક જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ખતરો હજુ યથાવત છે. તૂટેલા સ્લેબનો એક ભાગ હજુ પણ હવામાં લટકી રહ્યો છે. જેના કારણે તે રસ્તો સામાન્ય લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કાટમાળથી કેટલીક મોટરસાઇકલ અને અન્ય વાહનોને પણ નુકસાન થયું છે. દિલ્હી પોલીસ અને મેટ્રોની ટીમ અકસ્માતનું કારણ શોધવામાં વ્યસ્ત છે.