Satya Tv News

તાનિયા અને આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જણાઈ રહ્યું છે. મરતાં પહેલા તાનિયાએ અભિષેક શર્માને ફોન કર્યાં હતો અને વેસુ પોલીસ તેની કોલ ડિટેલ્સને આધારે આ વાત પકડી પાડી છે. તાનિયા અને અભિષેક ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે ફોન અને વોટ્સએપ પર પણ વાતો થતી હતી. પોલીસનું માનવું છે કે અભિષેક સાથે ફોન પર વાત કર્યાં બાદ જ તાનિયાએ પંખે લટકી ગઈ હતી. તાનિયાના આપઘાતમાં ક્રિકેટરનું નામ સામે આવતાં પોલીસને પણ મોટી કડી હાથ લાગી છે અને તેણે અભિષેકને બોલાવીને પૂછપરછ શરુ કરી છે. ક્રિકેટર અભિષેકના પ્રેમમાં પાગલ હતી અને તેમાં નિષ્ફળતાં મળતાં તેણે અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં અભિષેકની પૂછપરછ ચાલી રહી હોવાથી ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે. વેસુ પોલીસે ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ કરી રહી છે જે પછી સત્ય બહાર આવશે. હાલમાં પોલીસે લવના એંગલથી આ કેસની તપાસ કરી રહી છે.

error: