Satya Tv News

મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આકરા પ્રહાર કહ્યું

ચૈતર વસાવા થી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી

કોંગ્રેસને શિખામણ આપી અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહીં

પણ ચૈતરને વોટ ના આપતા

જો તમારા બુથમાં ચૈતર ને વોટ મળ્યો તો તે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે

કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી છે

આદિવાસીઓના હક લડાઈ માટે લડતા બીટીપીને પતાવી દીધી

આમ આદમી પાર્ટી એ પતાવી દીધી ચૈતર વસાવા તો મોહરું છે

મૂળ તો કેજરીવાલ પણ આદિવાસી વિરોધી છે

https://www.instagram.com/reel/C6a2z8DAGPF/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક અઠવાડિયુ બાકી છે. આજથી પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરવાના છે. ત્યારે ગુજરાતની સૌથી હોટ કહેવાતી ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાયું છે. ગુજરાતના રાજકારણમાં કૂતરા અને બિલાડી શબ્દની એન્ટ્રી છઈ છે. ભાજપના ઉમેદવાર મનસુખ વાસાવાએ AAPના ઉમેદવાર પર પ્રહાર કર્યા છે. ભર સભામાં મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડુ પણ ડરતું નથી. આ સાથે જ તેમણે ચૈતર વસાવાને વોટ ન આપવા અપીલ કરી હતી.

ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા મેદાનમાં છે, તો તેમની સામે ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવા મેદાનમાં છે. મનસુખ વસાવા ચૈતર વસાવા માટે બોલવાનો કોઈ મોકો છોડતા નથી. અગાઉ પણ તેઓ ચૈતર વસાવા પર શાબ્દિક બાણ વરસાવી ચૂક્યા છે. ત્યાર હવે ફરીથી મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા.

ચૂંટણી પ્રચાર દરમિયાન મનસુખ વસાએ કહ્યું હતું કે, ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડું પણ ડરતું નથી. કોંગ્રેસને શિખામણ આપી કે, અમને વોટ નહિ આપો તો કંઈ વાંધો નહિ. પણ ચૈતરને વોટ ના આપતા. કોંગ્રેસને ચેતવણી આપી કે ચૈતર વસાવાને તમારા બુથમાં વોટ ના નીકળે તેવું કરજો, બાકી તમારી પાર્ટીને આ વિસ્તારમાં પતાવી દેશે. જો તમારા બુથમાં ચૈતર ને વોટ મળ્યો તો તે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે. 

error: