Satya Tv News

નવસારી શહેરના વિઠ્ઠલ મંદિર પાસે ઘટના બનતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.બંને તરફે ટોળા સામસામે આવી ગયા હતા. ટોળાને વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે જૂથ અથડામણમાં બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર આપવાની ફરજ પડી હતી.સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક સ્ટેટ્સ મુકવાના કર્ણે વિવાદ વકર્યો હતો જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભારે જહેમત બાદ બંને પક્ષને સમજાવી પોલીસે ટોળા પરત મોકલ્યા હતા. હાલ પોલીસની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.ઉલ્લેખનીય છે કે જે પોસ્ટને લઈ આખો વિવાદ સર્જાયો હતો તેની પણ તપાસ શરુ કરવામાં આવી છે.

error: