Satya Tv News

વડોદરાનો રાણા પરિવાર વેકેશન હોવાથી સિક્કીમ ફરવા ગયો હતો. સિક્કિમના લાચુંગમાં ફરવા ગયેલ વડોદરાનું પરિવાર ત્યા ફસાયો છે. સિક્કિમમાં અચાનક વાદળ ફાટતાં ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં અનેક લોકો ફસાયા છે. વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો પણ ફસાતા વડોદરામાં રહેતા પરિવારના અન્ય સભ્યો ચિંતામાં મૂકાયા છે. વડોદરાના સમા સ્વાતિ સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, બે દિવસથી પરિવારના એક પણ સભ્યોનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. પરિવારમાં તમામ સભ્યો આજે હવાઈ મારફતે પરત વડોદરા આવવાના હતા પણ હજી સુધી કોઇ સંપર્ક નથી થઈ રહ્યો. 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે તમામ લોકો સિક્કિમ ફરવા ગયા હતા. પરિવારમાં રામચંદ્રભાઈના બે મોટા બહેન, એક નાનો ભાઈ અને તેમનો પરિવાર ફરવા ગયો હતો.

ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં અવિરત વરસાદને કારણે થયેલા મોટા ભૂસ્ખલનને કારણે 15 વિદેશીઓ સહિત 1,200 થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. મુખ્ય સચિવની કચેરીએ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવા માટે કેન્દ્ર સાથે વાતચીત શરૂ કરી છે. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગે મિન્ટોકગંગમાં એક બેઠક યોજી હતી. ભૂસ્ખલનને કારણે મિલકતોને નુકસાન થયું છે.

error: