સુરત પાલિકા દ્વારા તહેવારની સીઝનમાં મીઠાઈ અને માવાના સેમ્પલ લઈ તેની ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવે છે. પાલિકાની આવી કામગીરી છતાં પણ સુરતની અનેક દુકાનોમાં વેચાતી મીઠાઈ સુરતીઓના આરોગ્યને હાની પહોંચાડી શકે તેમ છે. સુરત પાલિકાના પાલનપોર વિસ્તારમાં મીઠાઈની દુકાનમાં શ્રીખંડમાં માખી દેખાતી હોવાથી ગ્રાહકે ફરિયાદ કરી તો દુકાનદારે માખી બાજુએ કાઢીને શ્રીખંડ વેચાણ માટે મુકી દીધો હતો. માખીવાળો આ શ્રીખંડ લોકોના પેટમાં જાય તો આરોગ્ય સામે ખતરો થાય તે શક્યતા નકારી શકાતી નથી.