Satya Tv News

વડોદરામાં અર્બન 7 સોસાયટીનાં ધાબા પર અરબી ઝંડા લગાવવામાં આવ્યો હોવાની માહિતી રહીશોને મળતા મામલો બિચક્યો હતો. તેમજ લોકોનાં ટોળે ટોળા સોસાયટી ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી મામલો શાંત પાડી તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ સમગ્ર બાબતે સ્થાનિક કાઉન્સિલર નિતીન દોંગાએ નિવેદન આપ્યું હતું કે, ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં આવશે. તેમજ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસની પણ જરૂર નહી પડે. અરબી ઝંડા કોઈ પણ જગ્યાએ નહી લાગે. અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા દઈશું નહી. આ હિન્દુસ્તાન છે બધા પ્રેમથી રહે. બાકી અમે પણ મહાદેવનાં સંતાન છીએ. હવામાં હશે તો હવા નીકાળી દેવામાં આવશે.

error: