Satya Tv News

ઉત્તર પ્રદેશમાં કૌશામ્બી જિલ્લામાં સંબંધોને કલંકિત કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સાત જન્મ માટે સાથે રહેવાનું વચન આપનારી પત્નીએ જ કરવા ચોથના દિવસે પતિ શૈલેષેને ઝેર આપીને મારી નાખ્યો હતો. આ ઘટના બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પત્નીને શંકા હતી કે તેના પતિનું અન્ય મહિલા સાથે અફેર છે. જેનાથી નારાજ થઈને પત્નીએ કરવા ચોથની સાંજે પતિના ભોજનમાં ઝેર ભેળવી દીધું હતું. આ પછી તે બહાનું બનાવીને ઘરેથી ભાગી ગઈ હતી. થોડા સમય બાદ પતિની તબિયત બગાડવા લાગી, ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત થઈ ગયું હતું.

શૈલેષેના મોતથી પરિવારજનોમાં ચકચાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે શૈલેષના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. મૃતક શૈલેષના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટના બાદ ફરાર થયેલી આરોપી પત્નીની પણ ધરપકડ કરી છે. મરતા પહેલા શૈલેષે એક નિવેદન પણ આપ્યું હતું, જેમાં તેણે તેની પત્નીને ભોજનમાં ઝેર ભેળવવાની વાત કરી હતી.

error: