Satya Tv News

અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 પર અલ્ફિયા કાર્ટિંગ પાસે રોડ ક્રોસ કરવા જતા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાના પગલે રાહદારીનું સારવાર દરમ્યાન કરુણ મોત નિપજતા શહેર પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ આરંભી છે.

પોલીસ સૂત્રીય મળતી માહિતી અનુસાર નેશનલ હાઇવે નંબર 48 પર અલ્ફિયા કાર્ટિંગ પાસે નજીકમાં જ રહેતા મોહમ્મ્દ અનારુ અબ્બાસઅલી બારેઠાનાઓ હાઇવે રોડ ક્રોસ કરવા જતા હતા. તે દરમ્યાન સુરતથી અંકલેશ્વર તરફ આવતા અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલ મોહમ્મ્દ અનારુ અબ્બાસઅલી બારેઠાનાઓ જોરદાર ટક્કર મારતા માથાના ભાગે અને અન્ય શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જા તેઓની ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નિપજવા પામ્યું હતુ. બનાવ મામલે શહેર પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ આરંભી છે.

વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: