Satya Tv News

અંકલેશ્વર પિરામણ સ્થિત બ્રધરન ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકોનો પવિત્ર ધાર્મિક તહેવાર ખ્રિસ્તી જયંતિ ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી.હાલ ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારીના કારણોસર ક્રિસમસનાં તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા હતાં. બ્રધરન ચર્ચના પાસ્ટર રેવ. રવિદાસ સાહેબ દ્વારા દેશ અને દુનિયામાં ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારી દૂર થાય એ માટે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ કોવિડ-૧૯ જેવી ખતરનાક મહામારીમાં મરણ પામેલાંના કુટુંબીજનો માટે દિલાસાની પ્રાર્થના કરવામાં આવી હતી.અને દરેક ખ્રિસ્તી સમાજના ભાઈઓ-બહેનોને એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી ક્રિસમસની ઉજવણી કરી હતી.

જર્નાસ્લીટ ધમેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: