અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ બન્યું જાહેરાત ભવન
વિવિધ જાહેરાતના બેનરોથી સર્કલ ઢાંકી દેવાયું
લાખો રૂપિયાના ખર્ચે બનેલ સર્કલની શોભા અદ્રશ્યમાન થઈ
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ ઉપર વિવિધ જાહેરતાના બેનરોથી ઢાંકી દેવાતા લાખો રૂપિયાના ખર્ચે બનેલ સર્કલની શોભા અદ્રશ્યમાન થઈ છે
અંકલેશ્વર નગર પાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલ વિવિધ સર્કલોને લાખો રૂપિયાના ખર્ચે સુશોભિત કરવામાં આવ્યા છે પરંતુ યોગ્ય જાળવણીના અભાવે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ સર્કલોની દુર્દશા જોવા મળી છે નગર પાલિકા તંત્રની ઉદાસીન નીતિને પગલે વિવિધ સર્કલો ખાતે વિવિધ જાહેરાતોના બેનરો અને સ્ટીકર જાહેરાત કરતી એજન્સીઓ દ્વારા લગાવવામાં આવતા લાખો રૂપિયાના ખર્ચે બનેલ સર્કલની શોભા અદ્રશ્યમાન થઈ છે ત્યારે તંત્ર દ્વારા સર્કલ ઉપર લગાવેલ બેનરો અને સ્ટિકરો દૂર કરી આ રીતે જાહેરતા કરતાં તત્વો સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
વિડીયો જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર