Satya Tv News

અંકલેશ્વર પીરામણ ગામ ખાતે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

નેહા અંકિત યાદવ નામની 20 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

પતિ સાથે પિયરે જવાની તકરાર માં પગલું ભર્યું હોવાનું અનુમાન

અંકલેશ્વર શહેર પોલીસે મામલે વધુ તપાસ હાથધરી.

અંકલેશ્વરના પીરમાણ ગામ ખાતે 20 વર્ષીય પરપ્રાંતીય મહિલાએ જીવન ટૂંકાવી લેતા શહેર પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામ ખાતે નેહા અંકિત યાદવ નામની 20 વર્ષીય પરિણીતાએ ઘરમાં ગળે ફાંસો ખાઇ જીવનલીલા ટૂંકાવીલીલા ટૂંકાવી લીધી હતી. જોકે પોલીસ દ્વારા પતિ સાથે પિયર જવાની તકરારમાં અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવામાં આવી રહ્યું છે. પંરતુ હાલ તો શહેર પોલીસે સમગ્ર મામલે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: