Satya Tv News

ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘનું યોજયું વાર્ષિક સંમેલન
સંમેલનમાં BMS ના રાષ્ટ્રીય અધ્યક્ષએ ઉપસ્થિત રહી આપ્યું માર્ગદર્શન
વાર્ષિક સંમેલનમાં જિલ્લાની નવી કારોબારીની કરાઈ રચના


અંકલેશ્વર ડાયમંડ થિયેટર ખાતે રવિવારે ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘનું વાર્ષિક સંમેલન યોજયું હતું.


સંમેલનમાં BMS ના રાષ્ટ્રીય અધ્યક્ષ હિરન્મય પંડ્યાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાના વિવિધ ઉધોગોના મોટી સંખ્યામાં હાજર કામદારોને કાયદાકીય સમજ, તેઓના હકો અને સમસ્યા અંગે પણ માહિતી અપાઈ હતી.વાર્ષિક સંમેલનમાં જિલ્લાની નવી કારોબારીની રચના કરાઈ હતી. આ પ્રસંગે એ.આઈ.એ. પ્રમુખ રમેશ ગાબાણી, પ્રદેશ મહામંત્રી વી.પી. પરમાર, વિભાગ મંત્રી અનિલ નિષાદ, ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.

વિડિઓ જર્નાલિસ્ટ કલ્પેશ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: