Satya Tv News

ઝનોર ખાતે સ્મશાનને જોડતા રોડનું ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ખાતમુહૂર્ત
રૂપિયા 17 લાખના ખર્ચે રોડ બનશે
ધારાસભ્યએ નર્મદા નદીમાં દૂધનો અભિષેક સાથે આરતી ઉતારી પુંજા કરી
કુશલ ભારત, બ્યુટીપાર્લર સહિતની તાલીમ મેળવનારને પ્રમાણપત્ર એનાયત


વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા એ ઝનોર ખાતે ગામના સ્મશાનને જોડતા અને રૂપિયા 17 લાખના ખર્ચે નિર્માણાધિન રોડનું ખાત મુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે.


ભરૂચ તાલુકાના ઝનોર ખાતે નદી કિનારે આવેલ સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાથી ગ્રામજનોને હાલાકી ઉઠાવવી પડતી હતી. આ રસ્તા માટે રૂપિયા 17 લાખ મંજુર કરાતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે માર્ગનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પહેલા ધારાસભ્ય એ નર્મદા નદીમાં દૂધ અને પાણીનો અભિષેક કરી નર્મદામૈયાની આરતી ઉતારી હતી. અવસરે કેન્દ્ર સરકારના કુશલ ભારત, કૌશલ ભારત અભિયાન હેઠળ મહિલા આત્મનિર્ભર યોજનામાં ભરૂચ જનશિક્ષણ સંસ્થા સંચાલિત ઝનોર સેન્ટરમાં બ્યુટીપાર્લરની તાલીમ મેળવનાર યુવતીઓને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.
ધારાસભ્યએ ઝનોર ખાતે નર્મદા નદીમાં દૂધ અને પાણીનો અભિષેક કરવા સાથે નર્મદામૈયાની આરતી ઉતારી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે સરકારના કુશલ ભારત, કૌશલ ભારત યોજના હેઠળ બ્યુટીપાર્લરની તાલીમ મેળવનાર યુવતીઓને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. દરમ્યાન દેશના વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ સમૂહમાં નિહાળ્યો હતો.આ અવસરે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ મોનાબેન પટેલ, જનશિક્ષણ સંસ્થાનના નિયામક જૈનુલ આબેદ્દીન સૈયદ, ઝનોરના સરપંચ સહિતના આગેવાનો સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે ગાંધીજીના નિર્વાણદીન નિમિત્તે સફાઈ કામદાર બહેનોને સાડીનું વિતરણ કરાયું હતું.

વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: