Satya Tv News

જાહેરમાં હત્યા બાબતે નેત્રંગ મામલતદારને આપ્યુ આવેદનપત્ર
ભરવાડ સમાજ ,બજરંગ દલ ,રાષ્ટ્રીય સ્વયંસેવકો,બી.જે.પી. આગેવાનો દ્વારા આવેદન
ધંધુકામાં યુવાનનું જાહેરમાં ફાયરીંગ કરી હત્યા


હિન્દુ યુવાનનું જાહેર માં ફાયરીંગ કરી હત્યા કરનાર નરાધમો ને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવવા બાબતે આજ રોજ નેત્રંગ ભરવાડ સમાજ તેમજ નેત્રંગ બજરંગદલ અને તાલુકાના હિન્દુ સમાજ દ્વારા નેત્રંગ મામલતદાર ને આવેદન આપ્યું હતું ,અમદાવાદ જીલ્લાના ધંધુકામાં યુવાનનું જાહેર માં ફાયરીંગ કરી હત્યા કરનારા સામે પગલાં લેય તેવી માંગ કરવામાં આવી હતી .


ભારત દેશમાં લઘુમતી નો દરજજો મેળવીને શાંતિપ્રય ઉદાર સહિષ્ણુ બહુમતી હિન્દુ ઉપર ઇસ્લામ ખતરે મે હૈંને ઇસ્લામ ને કુરાનના અપમાન મુદ્દે જે હાદી માનસિકતા ધરાવીને નાના વિષયોમાં મારામારી,ધાક ધમકી મર્ડર કરવા સુધી કક્ષા એ પોહચેલા જાદીઓ ની સમસ્યા ભારતમાં ખુબજ વધી રહેલ છે . આવા તત્વો ને કાયદામાં કડક સજા થવી જોઈએ . ધંધુકામાં જહાદી તત્વોનો ભોગ બનેલા કિશન ભરવાડ ના પરિવાર ને તાત્કાલીક સહાય તેમજ કુટુંબ માંથી એકને સરકારી નોકરી આપી પકડાયેલા તત્વોને ફાસીની સજા આપી એમના ધર – મકાન , દુકાનને સરકાર હસ્તક લઈ લેવામાં આવે અને આવા તત્વો ને સમર્થન આપતા તત્વો સામે કડક પગલા લેવાય જે બાબતે આજે રોજ નેત્રંગ મામલત દાર ખાતે નેત્રંગ ભરવાડ સમાજ તેમજ બજરંગ દલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક તેમજ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .

વિડિઓ જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: