Satya Tv News

અંકલેશ્વર અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત ડાયરામાં ફાયરિંગ મામલો

લોક ડાયરામાં હવામાં ફાયરિંગ કરનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો

હવામાં ફાયરિંગ કરનાર વિક્રમ હરિભાઈ શિયાલિયા સામે નોંધાયો ગુનો

અંકલેશ્વર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા યોજાયેલ લોક ડાયરામાં હવામાં ફાયરિંગ કરનાર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાવા પામ્યો છે

20મી ફેબ્રુઆરીના રોજ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના અને ઋષિકુલ ગૌધામ દ્વારા ધર્મ સંમેલન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર રીલાયન્સ પેટ્રોલ પંપ સ્થિત ઋષિકુલ ગૌધામ ખાતે ધર્મ સંમેલનમાં શાકોત્સવ અને રક્તતુલા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોક ગાયક કીર્તીદાન ગઢવી,ઋષિ અગ્રવાન,દિલિપ પટેલ અને જિગ્નેશ બારોટે ભજનોની રમઝટ બોલાવી હતી. શાંતિ પ્રિય સ્વામી નારાયણ સંપ્રદાયના લોક ડાયરામાં નોટો વરસાદ વચ્ચે ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટનાના વિડીયો વાયરલ થયો હતો. જેને પગલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ઘટનામાં પોલીસે હવામાં ફાયરિંગ કરનાર જામનગર રોડ રાજકોટના મોમાઈ કૃપા ભોમેશ્વર પ્લોટ સ્ટ્રીટ ખાતે રહેતો વિક્રમ હરિભાઈ શિયાલિયા સામે પોતાની અને અન્યની જિંદગી તેમજ શારીરિક સલામતી જોખમમાં મૂકી ફાયરિંગ કરી તેમજ હથિયારનો દુરુપયોગ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: