Satya Tv News

અંકલેશ્વર તાલુકામાં એકવાર ફરી વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના જૂના દિવા ગામની સીમમાં આવેલ હરેન્દ્રસિંહ છત્રસિંહ રણાએ પોતાના ખેતરમાં ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મુકાવ્યું છે જેઓના વીજ ટ્રાન્સફોર્મરને ચોરોએ નિશાન બનાવ્યું હતું અને વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ઢોળી, સ્તડ તોડી અને કોઈલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જ્યારે જૂની દિવી, જૂની સુરવાડી અને જૂના બોરભાઠા ગામની સીમમાં મળી 14 સ્થળોએથી વીજ ટ્રાન્સફોર્મરને તોડી ઓઇલ,કોપર મળી કુલ 1.92 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા વીજ ટ્રાન્સફોર્મર ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: