Satya Tv News

અંકલેશ્વર શહેરના જોશીયા ફળિયામાં પુત્ર અને પુત્રવધુએ નજીવા મુદ્દે માતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે 

અંકલેશ્વર શહેરના જોશીયા ફળિયામાં રહેતા 75 વર્ષીય અંજનાબેન જ્યોતિપ્રકાશ દેસાઈ ગતરોજ સવારે ઘરના રસોઈ બનાવતા હતા તે સમયે પુત્રવધુ નેહાબેન સમીર દેસાઈ તેઓ પાસે આવી તમને બવ સારું-સારું જમવાનું જોઈએ છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી જઈ સાસુને અપશબ્દો ઉચ્ચારી ધિક્કા પાટુનો માર માર્યો હતો જે ઝઘડાનું ઉપરાણું લઇ પુત્ર સમીરે પણ માતાને હોકી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મારામારી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: