Satya Tv News

અંકલેશ્વર મીરાનગર સોસાયટીમાં લૂંટને આપી હતી અંજામ

આ જ ગેંગે કોસમડીની સનપ્લાઝામાં 4 લાખની લૂંટ ચલાવી હતી

અન્ય બેથી વધુ લૂંટારુ મહિલાઓ ફરાર થઇ હતી

અંકલેશ્વરના સારંગપુરની મીરાનગર સોસાયટીમાં લૂંટને અંજામ આપનાર છારા ગેંગની સાત મહિલાઓએ કોસમડીની સન પ્લાઝામાં 4 લાખની લૂંટ ચલાવી હતી

ગતરોજ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સોસાયટીમાં મહાદેવ મંદિર પાસે રહેતી હોસલી દેવી રમેશ રાજમંગલ યાદવ પોતાના ઘરે હતી તે દરમિયાન સાતથી વધુ મહિલાઓ આવી હતી અને તેઓએ હોસલી દેવી પાસે જમવાનું માંગી વાતોમાં ભોળવી ધક્કો મારી નીચે પાડી એક મહિલા ઘરના ઘુસી જઈ કબાટમાં રહેલ રોકડા 20 હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.45 લાખની લૂંટ ચલાવી ભાગવા જતા મકાન માલિકે બુમરાણ મચાવતા સોસાયટીના લોકોએ સાત મહિલાઓને પકડી પાડી પોલીસને હવાલે કરી હતી પોલીસે રેખાબેન સતીશ દાતણિયા,કિરણબેન જહુન દેવીપૂજક,સોનાબેન યુવરાજ દેવીપૂજક,જમાબેન ઉર્ફે જેકત અમૃત દેવીપૂજક,કોયલબેન બાદલ વાઘરી અને વસંતીબેન કુસવસ વાઘરી,સંગીતબેન બાદલ વાઘરીને ઝડપી પાડ્યો હતી જયારે અન્ય બેથી વધુ લૂંટારુ મહિલાઓ ફરાર થઇ ગઈ હતી

વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: