Satya Tv News

તું કેમ ઘરે આવતી નથી કહી પતિએ તકરાર કરી

માધુુપુરા પોલીસ સ્ટેશન પાસે મહેદીકૂવામાં પતિ પત્ની વચ્ચેની તકરાર ચમરસીમાએ પહોંચી હતી. જેમાં પત્નીએ મારે તારી સાથે રહેવું નથી છૂટાછેડા લેવા છે, તેમ કહેતાની સાથે જ ઉશ્કેરાઇને પતિએ કટરના આડેધડ ઘા મારીને પત્ની ઉપર ખૂની હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

માધવપુરા ઇન્દિરાનગરના છાપરામાં રહેતા રજનીબહેન અનીસભાઇ દંતાણી એ માધુપુરા પોલીસ સ્ટેશનમાં પતિ અનીશભાઇ ઉર્ફે ઝભ્ભો બળદેવભાઇ દંતાણી સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાને તેના પતિ સાથે બે દિવસથી તકરાર થતી હતી, જેથી ફરિયાદી મહિલા મહેદીકુવા રોડ ઉપર આશરોે લઇ રહી હતી.

તું કેમ ઘરે આવતી નથી તેમ કહેતા મહિલાએ મારે તારી સાથે આવવું નથી, મારે છૂટાછેડા લેવા છે તેમ કહેતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો,મહિલા દોડીને ભાગવા જતાં પતિએ તેના કપડાં પકડી લીધી હતી અને પૂંઠા કાપવાની કટરથી મહિલા ઉપર હુમલો કર્યો હતો કટરના આડેધડ ઘા મારીને લોહી લુંહાણ કરીને આરોપી નાસી ગયો હતો, આ બનાવ અંગે માધુપુરા પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

error: