Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવી કોલોનીમાં મકાન માલિકને ફરિયાદ પછી ખેંચી લેવાની ધમકી આપતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. જુના જૈન દેરાસર રોડ ઉપર આવેલ નવી કોલોનીમાં રહેતા વિશાલ શશીકાંત પારેખ ગતરોજ વહેલી સવારે પોતાના ઘરે હતા તે દરમિયાન અજાણ્યા ફોન નંબરથી તેઓ પર ફોન આવ્યો હતો અને તેઓને ઘરના ગેટ પાસે બોલાવ્યા હતા જ્યાં સતીશ નામનો ઇસમ અન્ય એક ઇસમ સાથે આવ્યો હતો અને વિશાલ શશીકાંત પારેખને રમેશ મગન પટેલ અને તેઓના પરિવાર પર જે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે કેસ કર્યો છે જે પરત ખેંચી લેવાનું કહેતા તેઓએ તમારે જે કહેવું હોય તે પોલીસ સ્ટેશન જઈને કહેતો તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા બંને ઈસમોએ તેઓને અપશબ્દો ઉચ્ચારી ઘરની બહાર નીકળશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોન્ધીત્પાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: