Satya Tv News

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગરમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે

મૂળ એમપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગરમાં ભાડાના મકાનમાં ૨૮ વર્ષીય રાજેશ્વર નંદકુમાર દ્વિવેદી રહે છે જે યુવાને બે દિવસ અગાઉ અગમ્ય કારણોસર ધાબાના સીલીંગ સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો જેના રૂમમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ આ અંગે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરી હતી ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેઓની ટીમના સભ્યોની મદદ વડે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: