Satya Tv News

અંદાડા હેપ્પી રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
સોના-ચાંદીના ઘરેણા મળી કુલ 64 હજારથી વધુની ચોરી
ચોરી અંગે મકાન માલિકે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

અંકલેશ્વરના અંદાડા ગામની હેપ્પી રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૬૪ હજારથી વધુની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના અંદાડા ગામના વઘી રોડ ઉપર આવેલ હેપ્પી રેસીડેન્સીના મકાન નંબર-૨૩૬માં રહેતા અજય રામ રાજપૂત ગત તારીખ-૧૫મી ઓગસ્ટના રોજ તેઓના માતાના ઓપરેશન માટે વડોદરા ખાતે મકાન બંધ કરી પરિવારજનો સાથે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ તેઓના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૬૪ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: