Satya Tv News

હત્યા કરી નાસી જવાની ફિરાકમાં હતાો પતિ

વતન ભાગી જાઈ તે પહેલા જ પોલીસે પકડી પાડ્યો

રાજકોટના જેતપુરમાં સાડી ફિનિશિંગ કારખાનામાં મજૂરી કામ કરતા શખ્સે તેની પત્નીને ચારિત્રની શંકા રાખીને ગળું દબાવીને હત્યા કરી હતી. અને ત્યારબાદ નાસી જઈ વતન ભાગી છુટવાની ફિરાકમાં હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરનાં રબારીકા રોડ ઉપર કારખાનામાં કામ કરતા સત્યેન્દ્રકુમાર સીતારામ રામધનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કુટુંબી કાકાની 19 વર્ષીય દીકરી મનીષા ત્રીલોકીરામ ચમાર અને પતિ ત્રીલોકીરામ છોટુરામ ચમાર સાથે છ એક મહિનાથી કામ કરે છે જેમા ત્રીલોકીરામ કારખાનામાં કામ કરે છે તથા તેની પત્ની મનીષાકુમારી કારખાનામાં કામ કરતા મંજુરો માટે રસોઈ બનાવવાનું કામ કરતી હતી.

છેલ્લા ઘણા સમયથી ત્રીલોકીરામ તેની પત્ની મનીષા પર ચારિત્ર્ય બાબતે શંકા કરી મારકુટ કરતો હતો ,જે અંગે પતિ પત્ની વચ્ચે અવાર નવાર માથાકૂટ થતી હતી. આ બાબતે અનેકવાર ત્રીલોકીરામને સમજાવેલ હતો. ગતરોજ કારખાનામાં કામ કરેલ બાદ રાત્રીના તથા મારી સાથે કામ કરતા મજુરો જેતપુર ગામમાં ગરબી જોવા માટે ગયેલ હતા. ત્યારે ત્રીલોકીરામે પત્ની મનીષા તથા તેની સાથે રસોઈ કામ કરતી ઇંદુબેન ગરબો જોવા માટે ગયેલ હતા અને રાત્રીના અગીયારેક વાગ્યાની આસપાસ અમે પરત કારખાને આવતા ત્યાં જમવાનુ તૈયાર પડેલ હતુ જેથી બધાએે જમી લીધેલ એ પછી બધા મજુર કારખાનામાં સુઇ ગયેલ હતા.

સવારે સાડા છ એક વાગ્યે કારખાનામાં રસોઇનુ કામ કરતા ઇદુબેન અરવીંદ જે પણ બીહારના છે તે ત્યાં આવેલ અને વાત કરી કે ત્રીલોકીરામની ઓરડી બહારથી બંધ હતી. જેથી રસોઇ કરવા માટે ઓરડી ખોલી જોતા ત્રીલોકીરામની પત્ની મનીષા એકલી પડેલ હતી. અમો બધા આ ત્રીલોકરામની ઓરડીએ ગયેલ અને જોયેલ તો મારી કુટુંબી બહેન મનીષાકુમારી નીચે તેની પથારીમાં મૃત પડી હતી. આ અંગે કારખાનાના માલીક ચીરાગભાઈ જમનભાઇ શીંગાળાને જાણ કરતા તેમણે સમગ્ર ઘટનાની પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

દરમિયાન હત્યારા ત્રીલોકીરામની આજુબાજુમાં તપાસ કરતા ક્યાય મળેલ નહી . થોડીવારમાં આ ત્રીલોકીરામે ફોન કરી કહેલ કે મે જ મનીષાનુ ગળુ દબાવી દીધેલ છે. તમારે જે કરવુ હોય તે કરો મારે હવે તેનું મોઢું પણ જોવુ નથી. તેમ કહી ફોન મુકી દીધો હતો. આ બનાવ બાદ કારખાનાના સી.સી. ટી.વી. જોતા આ મનીષાનો પતિ ત્રીલોકીરામ રાત્રીના આશરે સવા બે વાગ્યાની આસપાસ તેની ઓરડીએથી ભાગી ગયાનું જોવા મળ્યું હતુ.

આ બનાવ બાદ કારખાનાના માલિક આવી જતા તરત મનીષાકુમારીને એમ્બ્યુલન્સમાં જેતપુર સરકારી દવાખાને ખસેડવામાં આવતા ડોક્ટરે ગળુ દબાવીને મૃત્યુ થઈ હોવાનું જણાવ્યું હતું. આ પછી જેતપુર પોલીસે આરોપી પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમજ મહિલાની લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી તેમના વતન જવાની ફિરાકમાં હોય ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: