Satya Tv News


ભરૂચ જિલ્લાના પાંચ આગેવાનોનો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ,અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિઓનો સમાવેશ કરાયો, પાંચને વધુ જવાબદારી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી


ભરૂચ જિલ્લાના પાંચ આગેવાનોનો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિઓ ઉપરાંત સમાજ આગેવાનો એવા પાંચને વધુ જવાબદારી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે.

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના સંગઠન કાર્યના સારથી તરીકે કાર્ય કરતા રાજ્યભરના ઉપરાંત અન્ય રાજ્યોના કેટલાક આગેવાનોને ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વધુ જવાબદારીઓ સોંપી ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓ તેમજ સામાજિક આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ૨૧.૧.૨૩ ના રોજ ઓલ ઇન્ડિયા કન્વીનર તથા સ્વયંસેવક મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા,

આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ખોડલધામ ટ્રસ્ટના પાંચ પ્રોજેક્ટનો ચીતાર આપવામાં આવ્યો હતો, ઉપરાંત ૨૦૨૭ માં આયોજિત દશાબ્દિ મહોત્સવ વિશે પણ જાણકારી આપી હતી, આ ઉપરાંત રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાઓમાંથી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સામાજિક આગેવાનોને વધુ જવાબદારીઓ સોંપી ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાંચ જેટલા આગેવાન તથા ઉદ્યોગપતિનો સમાવેશ કરાયો છે.

જેમાં મનસુખભાઇ નારણભાઈ રાદડીયા, ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા, પંકજભાઈ નાથાભાઇ ભુવા, હિંમતભાઈ બાલુભાઈ શેલડીયા,
ભરતભાઈ ત્રિભુવનદાસ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પંકજભાઈ નાથાભાઈ ભુવા જેઓ હાલમાં ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે સેવા બજાવી રહ્યા છે. ઉપરાંત તેમને દક્ષિણ ગુજરાત ઝોનના કન્વીનર તથા ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા અંકલેશ્વર ભરૂચ વાગરા જંબુસર આમોદ તાલુકાની ખોડલધામ સમિતિ ઓ દ્વારા તેમજ ખોડલધામ મહિલા સમિતિ તથા ખોડલધામ યુવા સમિતિ દ્વારા ટ્રસ્ટી તરીકે નિમણૂક થયેલ તમામ સમાજ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: