Satya Tv News

અંકલેશ્વર શહેરના માર્ગો ઉપર રામનવમી નિમિત્તે શ્રી રામની નીકળી હતી શોભાયાત્રા

ડીજેના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા રામમય બનીને

અંકલેશ્વરના દરેક માર્ગો પર હર્ષોઉલ્લાથી ઝૂમ્યા હતા શ્રી રામ ભગવાનના ભક્તો

રામ નામના નારાઓથી વાતાવરણ બની ગયું હતું ભક્તિમય

અંકલેશ્વર શહેરના માર્ગો પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે અંકલેશ્વર શહેરના માર્ગો પર વિશાળ શોભાયાત્રાઓ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તોએ જોડાઈને શહેરના માર્ગો ‘જય શ્રી રામ’ના નામથી ગુંજી ઉઠ્યા હતા.

YouTube player

સમગ્ર ભારત દેશમાં રામનવમી નિમિત્તે રામ મંદિર તેમજ અનેક શહેર જિલ્લાઓ અને રાજ્યોમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે રામનવમીના રૂટ પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામજીની ભવ્ય શોભાયાત્રામાં ભાવિકો ડીજેના તાલ સાથે જય શ્રી રામના નામ સાથે ઝૂમી ઉઠ્યા હતા. રામ ભક્તો દ્વારા જય શ્રી રામના નામ સાથે ગગનચુંબી નારો લગાવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હોય તેવું જોવા મળ્યુ હતુ. રામ નવમી નિમિત્તે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: