અંકલેશ્વરના હનુમાન મંદિરે ચાર ઈસમોએ માર મારતા પોલીસ નોંધાઈ ફરિયાદ
ઝઘડાની રીસ રાખી અપશબ્દો ઉચ્ચારી માર માર્યો
મારામારીમાં ગંભીર ઈજાઓને થતા ઈજાગ્રસ્ત તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા
મારામારી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી સ્કુલ પાસે આવેલ હનુમાન મંદિરે ચાર ઈસમોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ માયાનગરી ખાતે રહેતા અંકિત જીગ્નેશ પંડ્યા ગત તારીખ-૫મી એપ્રિલના રોજ સરસ્વતી સ્કુલ પાસે આવેલ હનુમાન મંદિર ભંડારામાં જમવા માટે ગયા હતા તે દરમિયાન મુકેશ યાદવ,બ્રિજેશ પાઠક,વિકાસ મિશ્રા અને દામોદર ત્યાં એસ.એસની પાઈપો લઈને ધસી આવતા હતા અને અગાઉ ધ્રુવ યાદવ સાથે થયેલા ઝઘડાની રીસ રાખી અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો આ મારામારીમાં ગંભીર ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત અંકિતને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો મારામારી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર