Satya Tv News

નર્મદા પર 179 કરોડના ખર્ચથી બનતાં બ્રિજની કામગીરી ઝડપી

20 કિમીનો ઘટાડો થતાં વાહનચાલકોના સમય અને ઇંધણનો બચાવ

16 પિલ્લર ઉપર નવો બ્રિજ બનાવામાં આવ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા અને વડોદરાના માલસર ગામની વચ્ચે 179 કરોડ રૂપિયાના ખર્ચે આકાર લઇ રહેલાં બ્રિજની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી શકી છે. વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચેના અંતરમાં 20 કિમીનો ઘટાડો થતાં વાહનચાલકોના સમય અને ઇંધણનો બચાવ થશે.

ઝઘડિયાના અશા ગામની સામેના કિનારે માલસર ગામ આવેલું છે. હાલમાં બંને ગામો વચ્ચે નાવડીઓ મારફતે લોકો અવરજવર કરે છે. ઝઘડિયા તાલુકાના ગામોમાંથી વડોદરા તરફ જવા માટે ભરૂચ અથવા રાજપીપળા થઇને જવુું પડતું હોય છે. તેથી બાઇક કે સ્કૂટરને નાવડીમાં મૂકી લોકો નદી પાર કરતાં હોય છે.

16 પિલ્લર ઉપર નવો બ્રિજ બનાવામાં આવ્યો

રાજય સરકારે અશા અને માલસર વચ્ચે 179 કરોડ રૂપિયાના ખર્ચથી પૂલ બનાવવાની કામગીરી શરૂ કરી છે. 3.5 કિલોમિટરની લંબાઇ અને 16 મિટરની પહોળાઇ ધરાવતા આ બ્રિજનો 900 મિટરનો હિસ્સો નદી ઉપરથી પસાર થશે. બાકી અશા તરફ 600 મિટર અને માલસર સાઇડ 2 કિલોમિટરનો ભાગ રહેશે. બ્રિજ બન્યા બાદ વડોદરા થી,નેત્રંગ, ડેડિયાપાડા,ઉપરાંત મહારાષ્ટ્ર બાજું જતા વાહનવ્યવહાર ને સરળતા થશે. આ બ્રિજ બનતાની સાથેજ વડોદરા થી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડા, મહારાષ્ટ્ ર જવા માટે 20 કિમી નું અંતર આછું થઈ જશે .

ડભોઇ, શિનોર, માલસર અને અશા તરફના રાજમાર્ગ ઉપર નર્મદા નદી પર પીએસસી ગર્ડર ડેક પૂલ બનાવવા સહિતની કામગીરી ચાલી રહી છે. બ્રિજને 16 પિલ્લર પર ઉભો કરવામાં આવશે. આ ઉપરાંત રિટેઇનિંગ વોલ, સાઇડ વોલ, ગર્ડર કાસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે.નવો બની રહેલો બ્રિજ વાહનચાલકો માટે આર્કષણનું કેન્દ્ર બનશે. વહેલી તકે બ્રિજનું લોકાર્પણ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહયાં છે.

error: