Satya Tv News

અંકલેશ્વરના યુવા ભાજપ મોરચા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કર્યો

બ્લડ પ્રેશર સહિતના રોગોનું ચેકઅપ અને નિદાન કરાવ્યું

અંકલેશ્વરના સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત અંકલેશ્વર શહેર યુવા મોરચા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો .

YouTube player

ભરૂચ જીલ્લામાં યુવા ભાજપ મોરચા દ્વારા સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેના ભાગરૂપે અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં આવેલ કબીર મંદિર પાસે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બ્લડ પ્રેશર સહિતના રોગોનું ચેકઅપ અને નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા,શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુવા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: