Satya Tv News

રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં બ્યુટી પાર્લરના કલાસીસમાં જતી બે તરૂણીઓ લાપતા થઈ જવાની ઘટના સામે આવી છે જેમાં તરુણીના પરીવારે ફરીયાદ નોંધાવતા આ જ વિસ્તારમાં મામાના ઘેર આવતા શખ્સ સામે શંકા વ્યક્ત કરતા પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ જામનગર રોડ પર રહેતા પરીવારની સગીર વયની પુત્રી તેની બહેનપણી સાથે જંકશન વિસ્તારમાં બ્યુટી પાર્લરના કલાસીસમાં જતી હતી દરમિયાન ગત તા. 18 એપ્રિલના રોજ બપોરે કલાસીસમાં ગયા બાદ રાત સુધી ઘેર નહી આવતા તેના પરીવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતા કલાસીસમાં બહેનપણી સાથે બજારમાં ખરીદી કરવા જવાનુ કહી બન્ને સાથે નિકળી હોવાનુ જણાવતા સગીરાના પરીવારે તેની બહેનપણીના ઘેર તપાસ કરતા તે પણ હાજર મળી આવી ન હતી.

આ પૂર્વે આ જ વિસ્તારમાં મામાના ઘેર આવતો વિશાલ ગોરધનભાઈ લાલવાણી સાથે સગીરાને પ્રેમ સંબધ હોય અને સગીરાના પરીવારે તેને સમજાવ્યો હતો જેથી તેના ઘેર તપાસ કરતા વિશાલ પણ ઘેર હાજર ન હોય અને તેનો મોબાઈલ પણ બંધ હોય જેથી સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી ગયાનુ સગીરાના પરીવારે જણાવતા પોલીસે વિશાલ સામે ગુનો નોંધી વધુ કાર્યાવાહી હાથ ધરી છે.

error: