અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવર બ્રીજ પર અકસ્માત સર્જાયો,દંપતી ઈજાગ્રસ્ત
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પર અકસ્માત
વાહન ચાલકેને પહુંચી ઈજાઓ
અકસ્માતમાં દંપતીને ઈજાઓ પહોંચી
અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડ્યા
બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર રાજપીપળા ચોકડી ઓવર બ્રીજ ઉતરતા બાઈક સવાર દંપતીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેઓને ઈજાઓ પહોંચી હતી
કોસંબાના તરસાલી સ્થિત અભિષેક પાર્ક સોસાયટીમાં રહેતા સુરેશ દેવજી પરમાર પોતાની પત્ની સાથે અંકલેશ્વરના સારંગપુર ખાતે લગ્ન પ્રસંગમાં પોતાની બાઈક નંબર-જી.જે.૦૫.કે.એફ.૩૭૨૬ લઇ નીકળ્યા હતા .જેઓ વાલિયા ચોકડીથી ભરૂચ તરફ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર રાજપીપળા ચોકડી ઓવર બ્રીજ ઉતરતા હતા તે વેળા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા ફોર વ્હીલર ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં દંપતીને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને ૧૦૮ સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર