Satya Tv News

May 9, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંકલેશ્વર ગોડાઉન માલિકને ટાયરની ખરીદી કરવા બાબતે માર માર્યો

અંકલેશ્વરના ગોડાઉન માલિકને માર માર્યો
અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો
૬ઠ્ઠી મેના રોજ વેપારીને રોકી ધમકી આપી
મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી 

અંકલેશ્વરના અંસાર માર્કેટ ગોસિયા મસ્જીદ પાસે ગોડાઉન માલિકને ટાયરની ખરીદી કરવા આવેલ ચાર ઈસમોએ માર માર્યો હતો.

અંકલેશ્વરના અંસાર માર્કેટ ગોસિયા મસ્જીદ પાસે રહેતા મહમંદ તબરેજ મોહમંદ સીરતાજ ખાન મોહમંદ અમીન નઝર મોહમંદ મનીહારના ગોડાઉનમાં ટાયર વેચી પોતાનું ગુજરાન ચલાવે છે જેના ગોડાઉન ઉપર ગત તારીખ-૫-૫-૨૩ના રોજ સદ્દામ અને લોહાર એકટીવાનું ટાયર ખરીદી કરવા આવ્યા હતા. જેઓને ટાયર બતાવી કીમત નક્કી કરતા હતા તે વેળા સદ્દામ અચાનક ગુસ્સે થઇ ગોડાઉન માલિકને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો. અને સદ્દામ,યુસુફઅલી તૈયબઅલી શેખ,કાદિર,મુસ્તકીમએ ભેગાં મળી વેપારીને માર માર્યો હતો જે બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું જે બાદ આ ચારેય ઈસમોએ ગત તારીખ-૬ઠ્ઠી મેના રોજ વેપારીને રોકી ધમકી આપી જતા રહ્યા હતા મારામારી અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: