Satya Tv News

Jun 13, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંકલેશ્વર: મંગલ મૂર્તિ સોસાયટીના યુવાને કોઈ કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કોસમડી ગામના યુવાને ફાંસી ખાઈ જીવન ટૂંકાવ્યું
પંખા સાથે નાયલોન દોરી બાંધી કર્યો આપઘાત
GIDC પોલીસે કાફલો સ્થળ પર દોડી આવ્યો
મૃતદેહને PM અર્થે ખસેડી તપાસ હાથ ધરી 

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવેલ મંગલ મૂર્તિ સોસાયટીમાં અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવેલ મંગલ મૂર્તિ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય લલિત યોગેન્દ્રસિંઘ પરમાર ગતરોજ બપોરે પોતાના ઘરે એકલો હતો. તે દરમિયાન અગમ્ય કારણોસર બીજા રૂમમાં છતના પંખા સાથે નાયલોન દોરી વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો, બનાવ અંગેની જાણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: