Satya Tv News

નવસારીના ખેરગામ ગામના રીઢા ગુનેગાર વિધર્મીએ હિન્દુ સગીરાને ધમકાવી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ. સાથે તેની સાથે લગ્ન કરવા હોય તો ઇસ્લામ કબૂલ કરવા કહી, હિન્દુ મુસ્લિમ વિવાદ ન થાય એટલે પોતાના હિન્દુ મિત્ર સાથે પીડિત સગીરાના લગ્ન કરાવી, તેને પોતાની સાથે લઈ ગયો હતો. જોકે સમગ્ર પ્રકરણમાં અન્ય યુવતીઓ સાથે પણ પરિણીત વિધર્મીના સંબંધો હોવાથી સગીરાએ વિધર્મીનો વિરોધ કરી ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ આરંભી છે.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની સગીરાને વર્ષ 2019 ના ફેબ્રુઆરીથી ખેરગામના પરિણીત વિધર્મી અસીમ નિઝામ શેખે બજારમાં આવતા જતા તેનો પીછો કરી તેની સાથે મિત્રતા કેળવવા કોઈકની પાસેથી તેનો મોબાઈલ નંબર મેળવી તેને મેસેજ, ફોન કરીને તેને ધમકાવી મિત્રતા કેળવી હતી. બાદમાં બજારમાં તેને અટકાવી તેની છેડતી કરી, સગીરાને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો. અસીમથી કંટાળી યુવાન વયે પહોંચેલી પીડિતા અભ્યાસ અર્થે વડોદરા ગઈ, તો ત્યાં તેની પાસે પહોંચી તેને તાબે ન થાય, તો તેને મારી, પોતે પણ મરી જવાની વાત કરી પીડિતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેને મિત્રના ઘરે લઈ જઈ ભોળવીને તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી.

બીજી તરફ પીડિતા ઇસ્લામ કબૂલ કરે તો લગ્ન કરવાનું કહેતો હતો. દરમિયાન એકવાર ઉર્દૂમાં કંઈ બોલી પીડિતાને પોતાની બેગમ બનાવી હોવાનું જણાવ્યું હતું. એ સમય દરમિયાન અસીમ પીડિતાને વડોદરાની અલગ અલગ હોટલોમાં લઈ જઈ તેની સાથે મારપીટ કરી દુષ્કર્મ આચરતો હતો. પીડિતા વિરોધ કરે તો તેના શરીરે બચકા પણ ભરતો હતો. પીડિતા સાથેની અંગત પળોના અસીમે ફોટો અને વીડિયો પણ બનાવ્યા હતા. અસીમની કરતૂતોથી ત્રાસીને પીડિતાએ તેની આપવિતી માતા પિતાને જણાવી, તો તેમણે તેનો અભ્યાસ અધૂરો છોડવી ફરી ઘરે બોલાવી તેના લગ્ન કરવાના પ્રયાસો કર્યા હતા.

error: