Satya Tv News

UCC જો સરકાર અમલી બનાવવા મુદ્દે આદીવાસી આગેવાનોનો એક સૂરે વિરોધ

નર્મદા જિલ્લાના રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાની માં ગુજરાતના આદીવાસી જિલ્લાઓના આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની UCC ના અમલીકરણ મુદ્દે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમા ઉપસ્થિત આમ આદમી પાર્ટીના તમામ ઉપસ્થિત આગેવાનોએ UCC નો વિરોધ કર્યો હતો, અને એવી ચિમકી ઉચ્ચારી હતી કે જો સરકાર UCC લાગુ કરશે તો ભાજપને આવનારી વિધાનસભા અને લોકસભાની ચુંટણીમાં પરીણામ ભોગવવા તૈયાર રેહવુ પડશે. UCC આદિવાસી સમાજ માટે ભયંકર નુકશાન કારક છે, એનાથી અનામત બેઠકો ખતમ થવાની સંભાવના છે અને પેસા એક્ટ તથા અનુસૂચિ 5 અને 6 અનુસૂચિ નાબૂદ થઈ જશે. આ કાયદો ફકત અને ફકત SC, ST અને OBC ના બંધારણ પર તરાપ મારવા માટેનો છે. જે લોકો લોકશાહીને સમર્થન કરે છે એ લોકો UCC નો વિરોધ કરે છે. આદિવાસીઓમાં એકતા નથી એટલે ભાજપ એનો દુરુપયોગ કરે છે. એક નહિ થાવ તો આપણી કોઈ પણ લડતનો પડઘો નહિ પડે. ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સુરમાં સુર પુરાવ્યો હતો. હાલ અમે અમારા આદિવાસી સમાજ સાથે ઉભા રહ્યા છે અને ઉભા રહીશું પરંતુ જો અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ UCC નો ડ્રાફ્ટ તૈયાર થયા પછી UCC ને સમર્થન કરશે તો અમે અમારા આદિવાસી સમાજ માટે હું આમ આદમી પાર્ટી માંથી રાજીનામુ પણ આપીશ અને અમારા સમાજ માટે સાથે ઉભા રહીશું.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: