Satya Tv News

મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે અંબે ગ્રીન સોસાયટીમાં આનંદ શિવજી રાજગુરુના મિત્ર સલીમ મોહમંદ શેખ ગત તારીખ-૧૪મી જુલાઈ રોજ રાતે અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર હવા મહેલથી ભરૂચ તરફના માર્ગ ઉપર અનમોલ પ્લાઝા સામે રોડની બાજુમાં સુઈ ગયો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને મિત્રએ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેનું ટૂંકી સારવાર દરમિયાન બાદ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: