Satya Tv News

રાધા ક્રિષ્ના સોસાયટીનો ૧૪ વર્ષીય કિશોર લાપત્તા
પરિવારજનોએ શોધખોળ કરી છતાં ન મળ્યો
GIDC પોલીસ મથકે અપહરણ અંગેની નોંધાવી ફરિયાદ
અપહરણની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી 

અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ શ્રીજી બંગ્લોઝ રાધા ક્રિષ્ના સોસાયટીમાંથી ૧૪ વર્ષના કિશોર લાપત્તા બનતા પરિવાજનોએ
જી.આઈ.ડી.સી.પોલીસ મથકે અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી

અંકલેશ્વરના કોસમડી ગામ પાસે આવેલ શ્રીજી બંગ્લોઝ રાધા ક્રિષ્ના સોસાયટીમાં રહેતા જયપ્રકાશ જોખનલાલ રાજભરના ૧૪ વર્ષીય પુત્ર ઇન્દ્રેશ ગત તારીખ-૨૮મી જુલાઈના રોજ પોતાના ઘરેથી કંઈપણ કહ્યા વિના લાપત્તા બન્યો છે. કિશોરની પરિવારજનોએ ભારે શોધખોળ કર્યા બાદ પણ તે મળી નહિ આવતા પરિવારજનોએ તેનું અપહરણ થઇ ગયું હોવાની શંકાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે, પોલીસે અપહરણની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: