Satya Tv News

YouTube player

અમરતૃપ્તી નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં આગ
આગ લાગવાની લોકોમાં નાસભાગ મચી
ફાયર ફાઈટરોની ટીમ પહોંચી ઘટના સ્થળે
પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

અંકલેશ્વ નેશનલ હાઇવેને અડીને આવેલા અમરતૃપ્તિ નજીક આવેલ સ્ક્રેપ ગોડાઉનમાં રાત્રીના સમયે આગ લાગતા દોડધામ મચી.

અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં અવાર નવાર આગ લાગવાની ઘટના સામે આવી રહી છે.ત્યારે ગતરોજ રાતના સમયે અંકલેશ્વ નેશનલ હાઇવેને અડીને આવેલા અમરતૃપ્તિ નજીક આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી, આગને પગલે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતાં અંકલેશ્વર ડીપીએમસી,પાનોલી અને અંકલેશ્વર નગરપાલિકા સહિત પાંચ જેટલા ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગની લાગવાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ અને જી.પી.સી.બીના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી.જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે આગ લગાવનું કારણ જાણી શકાયું નથી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: