Satya Tv News

ગુજરાતના વડોદરામાં બિહાર વાળી થઈ હોય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં બંદૂક બતાવી કંપની માલિકનું અપહરણ કરાયાની ગ થન સામે આવી છે. વિગતો મુજબ વડોદરામાં ખાનગી કંપનીના માલિક રશ્મિકાંત પંડ્યાનું બે શીખ યુવકોએ નિઝામપુરામાંથી અપહરણ કર્યું હતું. જે બાદમા તેઓ જુદા જુદા વિસ્તારોમાં ફેરવી વરણામાં સુધી લઈ ગયા હતા.

આ ઇસમોએ કારને ઓવર ટેક કરી બબાલ કરીને અપહરણ કર્યું હતું. જેમાં બળજબરીથી કારમાં ઘુસી જઈ કંપની માલિક રશ્મિકાંત પંડ્યાનું માલીકના માથે પિસ્તોલ રાખી અપહરણ કર્યું હતું. જે બાદમાં અધવચ્ચે મારઝૂડ કરી 3500 રૂપિયા અને ત્રણ મોબાઈલ લૂંટી લીધા અને બે કોરા ચેક પર બળજબરીથી સહી કરાવી લીધી હતી.

પેટ્રોલિંગ કરી રહેલી વરણામાં પોલીસની ટીમે કાર રોકતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસ ટીમને અપહરણ સહિતની માહીતી કંપની માલીકે જણાવતા ભાંડો ફૂટ્યો હતી. જેને લઈ પોલીસે કંપની માલીક રશ્મિકાંત પંડ્યાને આરોપીઓના ચંગુલમાંથી છોડાવ્યા હતા. આ તરફ વરણામાં પોલીસે બે આરોપી મંજિન્દર સિંઘ અને સતનામ સિંઘ સામે ગુનો નોંધ્યો છે. આ તરફ ગુનો દાખલ કરી માઉઝર પિસ્તોલ સાથે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: