Satya Tv News

YouTube player

શિક્ષક દિન નિમિત્તે સારસ્વત સન્માન કાર્યક્રમ
એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સારસ્વત સન્માન કાર્યક્રમ
શાળાના 31 શિક્ષકોનું સાલ ઓઢાડી કર્યું સન્માન

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા શિક્ષક દિન નિમિત્તે સારસ્વત સન્માન કાર્યક્રમ અંતર્ગત 31 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરના શારદા ભવન હૉલ ખાતે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનના પુનિત દિવસે સારસ્વત સન્માન સમારંભ અને પ્રેરક પ્રોત્સાહન વક્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં શિક્ષણ જગતના ભીષ્મ પિતામહ તરીકે જાણીતા એમએટી સ્કુલ મેનેજિંગ ટ્રસ્ટી રણછોડ શાહના હસ્તે અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ અંગ્રેજી માધ્યમ શાળા, એસ.વી.ઈ.એમ. ગુજરાતી માધ્યમ સ્કુલ અને સ્વામી વિવેકાનંદ એકેડેમીના 31 શિક્ષકોનું સાલ ઓઢાડી અને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર થકી સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ અને સંસ્કારદીપ ટ્રસ્ટના ચેરમેન નારણ નાવડીયા,મંત્રી ફેનીબેન કાવિના,ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્ર શાહ, ઉપપ્રમુખ હરીશ જોશી અને મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ, આરીફ વજીફદાર, લતા શ્રોફ સહિત ટ્રસ્ટ મંડળ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: