Satya Tv News

YouTube player

VHP,બજરંગદળ આયોજિત શૌર્યયાત્રા નીકળી
વાલિયા બાદ અંકલેશ્વર ખાતે પહોંચી શૌર્યયાત્રા
હિન્દુ સમાજનાનોએ શૌર્યયાત્રાનું કર્યું સ્વાગત
રોકડિયા હનુમાન મંદિરે પહોંચી રાત્રિ રોકાણ કરશે

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શૌર્ય યાત્રા વાલિયા બાદ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા હિન્દુ સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

દેશ ભરમાં હિન્દુઓ જાગૃત બને તે માટે ગત તારીખ-23મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શૌર્ય યાત્રા બારડોલીથી નીકળેલ હતી .જે યાત્રા તાપી,નર્મદા જીલ્લામાં ફરી ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશી હતી, જે શૌર્ય યાત્રા અશાથી ઉમલ્લા-રાજપારડી થઈ ઝઘડીયા બાદ મોડી સાંજે વાલિયા ગામના ચાર રસ્તા પાસે આવી પહોંચી હતી, જે શૌર્ય યાત્રાનું લોકોએ સ્વાગત કર્યું હતું. જે યાત્રા મુખ્ય બજારમાં ફરી હતી, જે બાદ યાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચતા યાત્રાનું હિન્દુ સમાજના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.જે શૌર્યા યાત્રા અંકલેશ્વરના તુલસીવિલાથી નીકળી ત્રણ રસ્તા સર્કલ થઈ ગડખોલ બાદ રોકડિયા હનુમાન મંદિર પહોંચી હતી. અને ત્યાં યાત્રા રાત્રિ રોકાણ કરશે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે કરણસિંહ સત્યા ટીવી અંકલેશ્વર

error: