Satya Tv News

રંગ રસિયા નવરાત્રી મહોત્સવનું આયોજન
ખેલૈયાઓ, જનમેદની માટે સલામતીની વ્યવસ્થા
કોરોનાને લઈ ત્રણ વર્ષ બાદ ગરબાનું આયોજન

અંકલેશ્વરમાં ત્રણ વર્ષ બાદ રંગ રસિયા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન

અંકલેશ્વરમાં નીરવ મેમોરિયેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2018 અને 19 માં રંગ રસિયા નવરાત્રી મહોત્સવ આયોજિત કરાયો હતો. જે બાદ મહામારી કોરોનાને લઈ ત્રણ વર્ષ ગરબા આયોજિત થયા ન હતા.આ વર્ષે ફરી રંગ રસિયા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં આયોજક સંદીપ પટેલે જણાવ્યું હતું કે, ખેલૈયાઓ અને જનમેદની માટે સલામતી સહિતની ખાસ વ્યવસ્થાઓ કરાઈ છે. યુવાઓમાં હાર્ટ એટેકના બનતા બનાવોને ધ્યાને રાખી ગરબા સ્થળે 3 ડોકટરોની ટીમ, મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ તેમજ ફાયર સેફટી સ્ટેન્ડ બાય રહેશે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: