Satya Tv News

ગામના નદીકિનારેથી મળ્યો મૃતદેહ
32 વર્ષીય યુવાનનો મળ્યો મૃતદેહ
કપડાંપરથી થઈ ઓળખાન

અંકલેશ્વર ના જુના બોરભાઠા ગામ ના નદીકિનારે થી બિનવારસી હાલત માં એક યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો

આજરોજ સવારના અંકલેશ્વર ના જુના બોરભાઠા ગામ ના નદીકિનારે થી બિનવારસી હાલત માં મળેલ એક યુવક નો મૃતદેહ જે ભરૂચ ના શીંધવાઈ માતા ના મંદિર પાસે રહેતા 32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નો હોઈ તેમ પરિવારજનો દ્વારા મૃતદેહ ના કપડાં અને હાથ પર પડાવેલ એસ નામના છૂંદણા પર થી સ્વીકારેલ.ત્યારબાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ની મદદ થી મૃતદેહ ને નદી માંથી બહાર કાઢી પી. એમ.અર્થે ગડખોલ પી. એચ. સી.સેન્ટર ખાતે ખસેડેલ છે.

સંજય અવિચંદ વસાવા ઉમર વર્ષ 32,પરણિત છે અને તેવી ને સંતાન માં 2 દીકરીઓ છે જેવો બે દિવસ અગાવ પોતાની એકટીવા નર્મદા મૈયા બ્રિજ પર મૂકી ને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરેલ જેનો મૃતદેહ આજરોજ અંકલેશ્વર ના જુના બોરભાઠા ગામ ના સ્મશાન પાસે ના નદીકિનારે થી મળી આવેલ જેની જાણ સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ને કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ ઘટનાસ્થળે પોહચી મૃતદેહ ની જાણ અંકલેશ્વર એ ડિવિઝન ને કરેલ ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પોહ્ચેલ અને તેના વાળીવારસો ની શોધખોળ શરૂ કરેલ અંતે મૃતદેહ ના પરિવારજનો સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ની મદદ થી મળી ગયેલ છે
error: