Satya Tv News

રાજકોટમાં એક યુવકની મોતની ઘટના ઘટી છે.  પોલીસે કોઈ કારણોસર માર મારતા રાજુ સોલંકી નામના યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. ASI અશ્વિન કાનગડે આ યુવકને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

પાડોશીના ઝગડાનું સમાધાન કરાવવા માટે યુવાન ગયો હતો ને તેમાં તેને કસ્ટડીમાં લેવાયો હતો અને પોલીસના મારથી વધુ એક યુવકનું મોત થયું હતું.

ગઈ તારીખ 14 એપ્રિલના રોજ આ બનાવ બન્યો હતો. આંતરિક ઝઘડામાં હમીર ઉર્ફે ગોપાલ રાઠોડ અને રાજુ સોલંકી માર મારવામાં આવ્યો હતો. જેમાં ગોપાલ રાઠોડનું મોત થયું હતું. ત્યાર બાદ રાજુ સોલંકીનું પણ મોત થયું હતું. આ મૃત્યુ થતા બનાવ ડબલ કસ્ટોડિયલ ડેથમાં પલટાયો હતો. હાલમાં વાત કરીએ ASI અશ્વિન કાનગડની તો તે પોલીસ કસ્ટડીમાં છે.

error: