Satya Tv News

અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે બાપુ નગરમાં રહેતા 23 વર્ષીય યુવાને ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર ઑ.એન.જી.સી.બ્રિજ નીચે આવેલ બાપુ નગર ખાતે રહેતા 23 વર્ષીય ખુશાલ સંજય હિરેએ અંકલેશ્વરની સુરવાડી બ્રિજ નીચે ટ્રેન આગળ પડતું મૂકી અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.આ અંગેની જાણ થતાં રેલ્વે પોલીસને કરવામાં આવતા રેલ્વે પોલીસ સ્થળ પર દોડી આવી મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી

error: