Satya Tv News

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ પાનોલી જી.આઇ.ડી.સી.માંથી ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો.

ભરૂચ એલ.સી.બી.ના પીએસ.આઇ. એમ.એમ.રાઠોડ સહિત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી પાનોલી જી.આઈ.ડી.સી.માં જયપાલની ભંગારની દુકાન ખાતે હાજર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ યુપી હાલ સારંગપુર ગામની શાંતીનગરમાં રહેતો વિકાશ ઉર્વે ટેની છુન્નાલાલ કુશવાહાને ઝડપી પાડી તેને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકને હવાલે કર્યો હતો

error: